ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • “જાણો, જમીન પર સુવાના ૫ ફાયદાઓ”વાંચીને શેર કરો

    જમીન પર સુવાના અનેકગણા ફાયદા થાય છે જે આજના પલંદ એટલે કે બેડ પર સુવાથી નથી થતા જોકે, કમ્ફર્ટેબલ બેડમાં સુવાનો આનંદ કઈક અલગ જ હોય છે. આપણે દરરોજ બેડ પર સુતા હોઈએ એટલે અમુક સમયે આપણને જમીન પર સુવાનું કહેવામાં આવે તો થોડું અજીબ લાગે એ સ્વાભાવિક છે. જો તમારે ફીટ અને હેલ્ધી રહેવું…

  • કેટલાક રોગોમાં મોતના મુખમાંથી બચવા ઉકળતા દુધમા તુલસીના પાન ઉમેરો

    જ્યારે દૂધમાં ઉકાળો ઉમેરવામાં આવે છે, ત્યારે તુલસીના પાન એક ચમત્કાર છે – દૂધ સાથે તુલસી ઘરેલું ઉપાય કોઈ આડઅસર વિના ઘણા રોગોને દૂર કરે છે. તુલસીને લગતી કેટલીક સમાન ટીપ્સ છે. તુલસી એક એવી જડીબુટ્ટી છે જે ઘણી સમસ્યાઓ સરળતાથી દૂર કરી શકે છે. શરદી અથવા માથાનો દુખાવોથી રાહત મેળવવા માટે તુલસીનો ઉકાળો લેવાથી…

  • જો તમે માનતા હો કે તંદુરસ્તી જાળવવા ખૂબ પ્રયત્ન કરવા પડે તો તે સાચું નથી.આ બાબત ધ્યાનમા રાખો તમારી તંદુરસ્તી તમારા જ હાથમાં છે.

    જો તમે માનતા હો કે તંદુરસ્તી જાળવવા ખૂબ પ્રયત્ન કરવા પડે તો તે સાચું નથી. અહીં જણાવેલ નાની નાની વાતોનો અમલ કરો અને પછી જુઓ કે તમારી તંદુરસ્તી તમારા જ હાથમાં છે. શરીરને હાઈડ્રેટ રાખવા રોજ પર્યાપ્ત પ્રમાણમાં (૮ થી ૧૦ ગ્લાસ) પાણી પીઓ. તે તમારા આંતરિક અવયવોને તો સ્વસ્થ રાખશે જ, સાથોસાથ તમારી સ્કીનને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles