મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
હેડકી, કફના રોગો, ખાંસી, ગળાના રોગો , શરદી, છીંકો, ઉબકા, ગેસ સામે રાહત આપે છે લવિંગ વાંચો અને શેર કરો
લવિંગ : ( ૧ ) લવિંગ તીખું , કડવું , હલકું , નેત્રને હિતકારી , ઠંડું , જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર , આહારનું પાચન કરનાર , ભોજન પર રુચિ ઉપજાવનાર અને કફ , પિત્ત , લોહીના રોગો , તરસ , ઊલટી , આફરો , શૂળ , ઉધરસ , હેડકી , શ્વાસ અને ક્ષયને મટાડે છે .…
આંતરડામાં ચાંદા અને ગર્ભાશય ખસી ગયું હોય તો આ ઔષધી નો ઉપયોગ કરવો
લજામણી ? એને રિસામણી પણ કહે છે . એના છોડ બારે માસ ગુજરાતમાં થાય છે , પરંતુ શિયાળામાં વધારે જોવામાં આવે છે . તે જમીન ઉપર પથરાતા વેલા જેવા છોડ છે , તેના પાનને સહેજ સ્પર્શ થતાં પાન બીડાઈ જાય છે , એના છોડ ઉપર બારીક કાંટા હોય છે . ફૂલ ગુલાબી રંગનાં , શિંગો…
ગરમીમાં ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબતો અેકવાર અચુક વાચજો અને શેર કરજો
ગરમી-ઉનાળામાં ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબતો શિયાળામાં ઘી, તેલ, મરી મસાલાવાળી વાનગીઓ ઝડપથી પચી જાય છે. જ્યારે ઉનાળામાં તે શક્ય બનતું નથી. તેથી જ શિયાળામાં ચા-કૉફી પીવાની મજા પડે છે. જ્યારે ઉનાળામાં ઠંડા શરબત, છાસ, ઠંડું દૂધ કે જ્યૂસ પીવાથી રાહત અનુભવાય છે. ગરમીમાં દહીંનો ઉપયોગ વધારવાથી શરીરને ઠંડક મળી રહે છે. વધારે પડતા મસાલાનો…
