મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આયુર્વેદનો ઉપયોગ કરશો તો ભલભલા વાઈરસની સામે રક્ષણ મળશે વાંચીને જરૂર શેર કરજો
માત્ર એક આમળુ ખાવાથી દિવસ માટે જરૂરી વિટામિન C મળી રહે છે સુવર્ણ વસંતમાલતી રસ : લઘુ વસંતમાલતી રસ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે . ડાયાબિટિસ જેવા અન્ય રોંગ પ્રતિકારક શક્તિ ઓછી કરતી બિમારીમાં સપડાયેલા દર્દીઓ માટે કોરોનાથી બચવા તે ઉપયોગી થઈ શકે છે . જેમાં મુખ્ય દવા ઝીકનું સત્વ કે જેને…
કોરોના વિરૂધ્ધ જંગમાં સ્વસ્થ રહેવા રોગપ્રતિકારક શકિત વધારવા માટેની ૧૦ ટીપ્સ
કોરોના વિરૂધ્ધ જંગમાં સ્વસ્થ રહેવા આયુષ મંત્રાલયની રોગપ્રતિકારક શકિત વધારવા માટેની ૧૦ ટીપ્સ • દિવસ દરમિયાન નવસેકુ પાણી અવાર – નવાર પીવુ ૦ દરરોજ ૩૦ મીનીટ યોગ – ધ્યાન કરવા ખોરાકમાં હળદર , જીરૂ , ધાણા અને લસણનો મસાલામાં ઉપયોગ કરવો એક ચમચી અથવા ૧૦ ગ્રામ ચ્યવનપ્રાસનું સેવન દરરોજ સવારે કરવું ડાયાબીટીસના દર્દીએ સુગર ફી…
ગમે તેવી ખંજવાળ દૂર કરશે આ અમરવેલમાં અનેક એવા દિવ્ય ગુણ જોવા મળે છે
અમરવેલમાં અનેક એવા દિવ્ય ગુણ જોવા મળે છે જેનાથી રોગોને આસાનીથી ઘરેલુ ઉપચાર કરી શકાય છે. ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી પ્રાપ્ત થતા આ ઔષધીની અનેક વિશેષતાઓ છે. સાથે જ અનેક લોકોના ઉપચારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે ઓળખશોઃ- અમરવેલ મૂળ વગરની પરોપજીવી વેલ છે. આ ઝાડની ઉપર પોતાની વેલને ફેલાવીને ઉગી આવે છે.…
