મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
લસણની 6 કળીઓ શેકીને ખાવાથી આપણા શરીરમા થશે આટલા ફાયદા
લસણની 6 કળીઓ શેકીને ખાવાથી આપણા શરીરમા થશે આટલા ફાયદા તેમાં પુષ્કળ પોષક તત્વો અને રક્ષણાત્મક સંયોજન હોય છે જે આપણને વિવિધ રોગો સામે લડવામાં મદદ કરતા હોય છે . તેન ઓષધીય ગુણધર્મોને કારણે , તેનો ઉપયોગ અનેક પ્રકારના રોગોમાં રાહત પણ થાય છે . લસણ વિનાની કોઈપણ વાનગી અપૂર્ણ જ માનવામાં આવે છે .…
છોલે ચણાનો મસાલો બનાવવાની રીત
ચણા મસાલો સામગ્રી ઘડમના દાણા – અડધો ચમચો મરી – 1ચમચો આખા ધાણા – 1 ચમચો , જીરું – અડધી ચમચી એલચા – 6 – 7 નંગ , તજ – 2ટુકડા , સિંધાલૂણ સ્વાદમુજબ , લવિંગ – 7 – 8 નંગ આખાં લાલ મરચાં – 4 – 5 નંગ રીતઃ લોઢીને ગરમ કરી તેના પર…
બાળકને શરદી, કફ, ઉધરસ, કબજિયાત દુર કરવાના ઘરગથ્થુ ઉપચાર
નાના બાળકની દેખભાળ કરવાના ઘરગથ્થુ ઉપચાર નવજાત શિશુ તેમજ નાના બાળકમાં રોગ ‘ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે , તેથી સામાન્ય બીમારીનો પણ તે જલદી ભોગ બને છે . તેના જન્મ પછીની દરેક ઋતુ તેના માટે પહેલી હોય છે , અને તેની અસર પણ તેને થતી જોવા મળે છે . નવજાત શિશુ તેમજ નાના બાળકની…
