ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • હાથ પગ અને કમરના દુઃખાવા, પેશાબમાં બળતરા, ઉનવા માટે ગોખરૂ ખૂબ જ ગુણકારી છે

    કડવા ગોખરૂ, મોટા ગોખરૂ કે ઉભા ગોખરૂ સુંદર પીળા ફૂલોવાળો ભારતનો ઔષધિય રીતે સૌથી ઉપયોગી છોડ છે. તેનું વૈજ્ઞાનિક નામ પેડાલિયમ મ્યુરેક્ષ (Pedalium murex) છે અને તે પિડાલિએસી (Pedaliaceae) કુળનો છોડ છે. તે કચ્છીમાં કડુઆ ગોખરૂ અને ઉભેરા ગોખરૂ, સંસ્કૃતમાં बृहत् गोक्षुर, तिक्त गोक्षुर અને અંગ્રેજીમાં લાર્જ કેલોટ્રોપ્સ (Large Caltrops), ક્રાઉન થ્રોન (crow thorn), એલિફેન્ટ કેલોટ્રોપ (elephant…

  • ઘટેલા વજનને મેન્ટેઇન કરવાના તરીકા અચુક વાચજો અને શેર કરજો

    શરીરે ચરબીના થર જામ્યા પછી ઊતારવા એક મુશ્કેલી છે , અને તેના કરતાં પણ મોટી સમસ્યા ઊતારેલા વજનને મેન્ટેઇન કરવાની છે . વજન ઊતાર્યા પછી તેને મેન્ટેઇન કરવા માટે કાળજી જરૂરી છે . સૌથી પહેલા તો વજન તેજીથી ઘટાડવાના પ્રયાસ કરવા નહીં મહિનામાં બે ત્રણ કિલો જેટલું જ વજન ઊતારવું જોઇએ . એક વાત મહત્વની…

  • ગાંઠ ગૂમડાં બાંબલાઈથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર જરૂર વાંચો અને શેર કરો

    ગૂમડાં ( ૧ ) ગૂમડાં ઉપર રસવંતીનો લેપ કરી પાટો બાંધી રાખવાથી ગુમડુ ફૂટી જાય છે . ( ૨ ) સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું બેસી જાય છે ( ૩ ) ઘઉના લોટમાં મીઠું અને હળદર નાખી પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવાથી ગૂમડું પાકી ને ફૂટી જશે ( ૪ ) બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીસ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles