ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પેટના રોગો, ગેસ, ગરમી, દુખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપચાર વાંચો અને શેર કરો

    પેટના રોગો : ( ૧ ) નાની એલચીનો પાઉડર દુધ કે પાણીમાં ઉકાળી સવાર – સાંજ હુંફાળું પીવાથી કબજિયાત . અપચો , ગેસ , એસિડીટી વગેરે પેટના તમામ રોગો મટે છે . ( ૨ ) કબજિયાત , અપચો , ગેસ ટ્રબલ , મરડો વગેરે પેટની કોઈપણ તકલીફમાં દરરોજ ઓછામાં ઓછું ૨૫૦ ગ્રામ પપૈયાનું સેવન કરવાથી…

  • ચણાના અનેકગણા ફાયદા કમળો, માથાનો દુઃખાવો, રક્તપિત્ત, કફરોગ, પિત્તરોગ વગેરેમાં ફાયદાકારક છે

    ચણા : ચણા ખૂબ પૌષ્ટિક છે . તે મીઠા , વાતકર , રોચક , લૂખા , હલકા , ઠંડા , ગડગડાટ કરનાર રંગ સુધારનાર અને બળવર્ધક છે . તે કમળો , માથાનો દુઃખાવો , રક્તપિત્ત , કફરોગ , પિત્તરોગ વાત વગેરેમાં ફાયદાકારક છે . ( ૧ ) રાત્રે પ૦ ગ્રામ ચણા કે ચણાની દાળ પલાળી…

  • બજાર જેવા ફાફડી ગાંઠિયા બનાવાની અેકવાર અચુક વાચજો

    જરૂરી સામગ્રી 250 ગ્રામ ચણા નો લોટ 1/4 ચમચી હીંગ 1/4 ચમચી અજમો 1/2 ચમચી સ્પૂન સોંડા નમક જરૂર મુજબ તેલ જરૂર મુજબ ફાફડી ગાંઠિયા બનાવાની રીત – સૌથી પહેલાં ચણા ના લોટ મા અજમો, તેલ અને હીંગ નાખી મીક્સ કરી લો. પછી સોડા મા થોડું અડધો કપ જેટલું પાણી નાખી એકદમ ફીણવાનુ. પછી કઠણ લોટ બાંધવો પછી લોટ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles