મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
સફેદ વાળને પણ કાળા કરી શકાય છે આ રહ્યો ઘરગથ્થું ઉપચાર વાંચો અને શેર કરો
સફેદ વાળ ( White Hair ) : ૧ .- ૨ ચમચી વરિયાળીના ચૂર્ણમાં ૨ ચમચી દળેલી ખાંડ પાણી સાથે સવારે અને રાત્રે ફાકી જવી . આ પ્રયોગથી અકાળે થયેલા સફેદ વાળ મૂળમાંથી કાળા ઊગે છે . તેમજ આ ‘ ઉપચારથી ચશ્માના નંબર પણ ધીરે – ધીરે ઓછા થઈ શકે છે . નીંબતેલ હળવે હાથે માથામાં…
વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું ઉત્તમ ઔષધ છે સાજા-માંદા સૌ કોઈ માટેનું નિર્દોષ ઔષધ : સંશમની વટી
જૂનો (જીરણ) તાવ, શરીરનો તપારો, થાક, વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું એ ઉત્તમ ઔષધ છે આયુર્વેદના જે કેટલાક પ્રચલિત અને સર્વ સામાન્ય ઔષધો છે તેમાં ‘સંશમની’નું સ્થાન વિશિષ્ટ છે. રોગ અને દોષોનું સમ્યક્ રીતે શમન કરતી હોવાથી જ આ ઔષધિને ‘સંશમની’ જેવું સાર્થક નામ મળ્યું હશે? ચિકિત્સા વ્યવસાયમાં પડેલા સોમાંથી…
શિયાળામાં પગમાં વાઢિયાને મટાડવા ઘરે બેઠા કરો આ કામ વાઢીયા સરળતાથી દુર થઈ જશે
પગના વાઢિયાને કરો અલવિદા શિયાળામાં પગમાં વાઢિયા પડવા એ કોમન અને મોટી સમસ્યા છે. જો વાઢિયાનો સમયસર ઉપાય ના કરવામાં આવે તો તે ખૂબ પીડાદાયક બની રહે છે અને તેને કારણે પગ પણ ખરાબ દેખાય છે. વાઢિયાને દૂર કરવા માટેની થોડીક સરળ અને અસરકારક હોમ રેમેડીઝ જોઇએ. ઓટ્સને (ઓટમીલ) ક્રશ કરી તેનો પાઉડર બનાવવો. તેમાં ચપટી…
