મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
વારંવાર થતા ગેસનો ઘરેલું ઉપચાર એકવાર જરૂર અજમાવી જુઓ સારું લાગે તો મિત્રો સાથે શેર કરો
ઘણી વખત પેટ નાં ગેસની તકલીફથી લોકો બીજા માટે મજાકનું પાત્ર બની જાય છે. જેના લીધે તેમને શરમ અનુભવવી પડે છે. જે લોકોને ગેસ વધુ ઉત્પન્ન થાય છે. તે પોતે જ બીજા થી દૂર રહેવા લાગે છે…. પેટમાં ગેસ આમ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને…
શરીરમાં લોહીના રોગો અને આ રોગથી બચવા ના ઉપાયો વાંચો અને શેર કરો
લોહીના સફેદ કણ શરીરની રોગપ્રતિકારક શક્તિનો અગત્ય નો ભાગ ગણવામાં આવે છે. તેને કારણે શરીરમાં બહારથી દાખલ થયેલા ચેપી જંતુઓ અને ઝેરી પદાર્થોથી રક્ષણ થાય છે આથી શરીરમાં સફેદ કણો અગત્યનો ભાગ ભજવે છે … ગતાંગથી શરૃ ૬. થેલેસિમિયાનો રોગ :આ પ્રકારનો રોગ વારસાગત (જીનેટીક) ગણવામાં આવે છે. આ રોગમાં દર્દીના શરીરમાં લોહી બનતું જ…
વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટેનો ઘરગથ્થું ઉપચાર વાંચો અને શેર કરો
સુંઠ પાવડર – ૫૦ ગ્રામ…………… કાળા મરી પાવડર ૨૦ ગ્રામ ………… દેશી દવા વગરનો ગોળ ૨૫૦ ગ્રામ…….. હળદળ પાવડર ૫૦ ગ્રામ……………. વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટે ઔષધી બનાવવાની રીત………… દેશી ગોળ ને કલાઈમાં નાખી ગરમ કરવો ત્યારબાદ તેમાં બાકી ના ત્રણેય પાવડર(હળદર,કાળામરી, સુંઠ પાવડરનાખી બરાબર હલાવી મિક્સ કરવું. એકદમ મિક્સ થય જાય પછી વટાણાના…
