મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
દુકાનેથી નહિ ઘરે જ બનાવો દેશી હેર કલર- ઘરગથ્થુ ચીજોથી વાળને રંગીન બનાવો
આજકાલ હેલ- કલરની hair color ફેશન ચાલે છે. કોલેજીયન , નોકરિયાત કે ગૃહિણી- બધી જ મહિલાઓમાં વાળને રંગવાનો ક્રેઝ વધ્યો છે. ગયા વર્ષે ફેશન ટ્રેન્ડ બનેલું આ ચલણ આજે ઘરેઘરમાં લોકપ્રિય બની ગયું છે. પણ મોટે ભાગે મહિલાઓ બજારમાં મળતા રસાયણો વડે વાળને રંગીન કરવાના અખતરાઓ કરે છે અને વાળની ગુણવત્તા ખરાબ કરે છે. રસાયણોના …
પગમાં સોજા કેમ આવે છે? પગમાં આવતા સોજા દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
વધારે વાર સુધી એક જગ્યાએ પગ લટકાવીને બેસી રહેવાથી ઘણા લોકોના પગે સોજા આવી ગયાની તેઓ ફરિયાદ કરતા સાંભળવા મળે છે. આવી ફરિયાદો ખાસ કરીને ીઓના મોઢે જ સાંભળવા મળે છે. ‘સવારે morning તો એકદમ તાજી અને હળવીફૂલ જેવી ઓફિસે જાઉં છું, પણ સાંજે પાછી આવું છું, ત્યારે પગ સૂજીને થાંભલા જેવા થઈ ગયા હોય…
એક દિવસ એવો આવશે કે જગતભરમાંથી કેળા નાબૂદ થઈ જશે આ છે તેની પાછળનું કારણ વાંચો અને શેર કરોX
એક દિવસ એવો આવશે કે જગતભરમાંથી કેળા નાબૂદ થઈ જશે આ છે તેની પાછળનું કારણ વાંચો અને શેર કરો જગતભરમાંથી કેળાં અદ્રશ્ય થઈ જશે? હોટલાઈન – ભાલચંદ્ર જાની GUJARAT SAMACHAR વનસ્પતિ શાસ્ત્રમાં કેળાંંની BANANA ઓળખ મુસા તરીકે થાય છે. કેળનો છોડ ‘મુસાળિયા’ વનસ્પતિ પરિવારનો સભ્ય ગણાય છે. હિન્દી પારસી અને ઉર્દૂમાં તેને ‘કેલા’કહે છે દરેક…
