મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
જાસુદ વાળ માટે હીતકર, રક્તપ્રદરનો નાશ કરનાર, ઉંદરી મટાડનાર, કફ તેમજ વાયુનો નાશકરનાર તથા હૃદય માટે હીતકર છે
ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવા માં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો . હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય,…
આજે ઘરે બનાવો ચટાકેદાર રગડા પેટીસ રેસીપી વાંચવા અહીં ક્લિક કરો
સામગ્રીરગડા માટે, 250 ગ્રામ સફેદ વટાણા, 100 ગ્રામ શિંગદાણા, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ધાણાજીરું, 4 લીલાં મરચાં, 2 કટકા આદું, 4 ટેબલસ્પૂન ગોળ-આંબલીનો જાડો રસ, 100 ગ્રામ બટાકા100 ગ્રામ ટામેટાં, 1 ઝૂડી લીલા ધાણા, 100 ગ્રામ ડુંગળી, 50 ગ્રામ કોપરાનું ખમણ, મીઠું, મરચું, હળદર, તેલ, રાઈ, હિંગ – પ્રમાણસર વાનગીની…
સોયાબીન ડાયાબિટીસ તેમજ કેન્સરનુ જોખમ ઘટાડે છે તેના બીજા ફાયદા વીશે જાણો
સોયાબીન ડાયાબિટીસનું જોખમ ઘટાડી મેટાબોલિઝમ સુધારે છે કોલોરેક્ટલ કેન્સર સામે પણ રક્ષણ આપે છે હેલ્ડે ડેસ્કઃ સો યાબીન બીજની એક જાતિ છે, જે વિશ્વભરમાં વપ રાય છે. સોયાબીન માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને તેની ખેતી કરવી પણ સરળ છે. સોયાબીન મેટાબોલિઝમ તો સુધરે જ છે પણ સાથે તે હૃદયને પણ સુરક્ષિત કરે…
