મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
વાળમાં મહેંદી લગાવતી વખતે આટલું ખાસ ધ્યાન રાખો
સૌ પ્રથમ વાળને સીધા ઓળી નાંખવા . ત્યારબાદ વચ્ચે પાંથી પાડીને બે ભાગ પાડી મહેંદી લગાવવાની શરૂઆત કરવી . પાંથીની ડાબી બાજુએ બીજી સીધી પાંથી પાડી પહેલી પાંથીની ઉપર વાળ દબાવીને બંને બાજુએ મહેંદી લગાવો . આ રીતે અલગ અલગ પાંથીઓ પાડીને કાન સુધીના બધા વાળમાં મહેંદી લગાવો . વચ્ચેની પાંથી જમણી બાજુએ સળંગ પાડીને…
શરીરમાંથી ઝેર કાઢવા તેમજ કાંટો, કાચ કે ખીલી જેવું ચામડીમાં ઉતરી ગયેલું હોય તો ફાયદાકારક છે આૈસધી
ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને ….. આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર…
ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડવા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર
ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડી શકાય !….ડાયટિંગ અમે કોઈ જિનેશિયમ ‘ શરૂ કર્યું નથી કે ન તો એવી કોઈ ગોળીઓની એજન્સી લીધી છે જે ગળવાથી વજન ઘટાડી શકાય . અહીં એકદમ સાદી , સીધી અને તદ્દન સહેલી તરકીબની વાત કરવાના છીએ . આજકાલ આ તરકીબ ન્યુટ્રિશ્યન એક્સપર્ટસ એટલે કે આહારશાસ્ત્રીઓ આપી રહ્યા છે . આ…
