ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ધરે બનાવો કાઠિયાવાડી વરાળિયું શાક

    બનાવો કાઠિયાવાડી વરાળિયું શાકGujarati રેસિપી : વીકેન્ડમાં ઘણાંના ઘરે ફેમિલી પાર્ટીઝ અને કીટી પાર્ટીઝનું આયોજન થતું હોય છે, જેમાં અવનવી ટેસ્ટી અને ચટપટી વાનગીઓ બનાવવામાં આવે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કાઠિયાવાડી વરાળિયા શાકની રેસિપિ. વરાળિયું શાક Kathi wadi Vegetable વઘાર માટેઃ અડધી ચમચી રાઇ અડધી ચમચી જીરું 200 મિલી તેલ બે-ત્રણ સૂકાં…

  • શું તમારૂ બાળક ખોરાક નથી લેતુ તો આ લેખ વાંચો અને દરેક માતા પિતા સાથે શેર કરો

    છ વર્ષના એક બાળકને વોમિટની ફરિયાદ માટે મારી ..પાસે લાવવામાં આવ્યું. બાળકને રોજ બે-ત્રણ વોમિટ થાય.બાળકને ખવડાવો કે થોડીવારમાં વોમિટ કરી નાખે. ભૂખ્યો રહે તો કંઈ ન થાય. ખાય કે તરત જ થોડીવારમાં વોમિટ કરી નાખે.અનેક બાળરોગ નિષ્ણાત, બાળકોના સર્જન, પેટના ..રોગના નિષ્ણાતોની મદદ લેવાઈ ચૂકી હતી. ત્રણ વર્ષથી આ….ચક્ર ચાલતું હતું. એકસ-રે, સોનો ગ્રાફી,…

  • હરસીંગાર સાયટીકા, ઘુંટણો જેવા અનેક રોગોને જડમુડમાંથી દૂર કરે છે

    સિટીિકા (ગરહરાસી): હરસિંજરના 8-10 પાંદડા નાના ટુકડાઓમાં, બે કપ પા ણીમાં મૂકો, આ પાણીને રાંધે ત્યાં સુધી તે ઓછી જ્યોત પર અડધા થઈ જાય. એકવાર ઠંડુ થઈ જાય, તેને ફિલ્ટર કરો. આ ડેકોક્શન દિવસમાં બે વાર પીવો ખા લી પેટ અને ભોજન ભોજન પહેલાં દોઢ કલાક. સીટિકા રોગ રુટથી આ પ્રયોગમાં જાય છે. ઉકાળો ઓછામાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles