મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઊંઘમાં તમારે નસકોરા બોલતા હોય તો ચેતી જજો એક જીવલેણ રોગ છે તેનાથી બચવાના ઉપાયો
ઊંઘમાં નસકોરા બોલાવતા લોકોથી આસપાસ સૂતેલા લોકો તો પરેશાન થઇ જતા હોય છે એ તો સામાન્ય વાત છે પરંતુ નસકોરા બોલાવનાર વ્યક્તિ માટે પણ એ જોખમી સાબિત થઇ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઊંઘમાં નસકોરા બોલાવતા લોકો પર જીવલેણ સ્ટ્રોકનું જોખમ બમણું થઇ જાય છે. આખી રાત નસકોરા બોલાવતા લોકોના લોહીમાં ગઠ્ઠા…
સારણગાઠ થવાના કારણો, ઉપાયો અને નિદાન વિશેની માહિતી
જ્યારે કોઇ અંગ કે ચરબી, આજુ બાજુ ના સ્નાયુઓ કે પેશી ના નબળા ભાગ માથી બહાર નીકળે કે ચામડી નીચે આવી જાય તેને સારણગાંઠ કહેવાય છે. સારણગાંઠ મા ગઠો સ્નાયુમા જોવા મળતો હોવાથી એવુ નામ પડ્યુ છે, બાકી તેમા કોઇ ગાંઠ ના હોવાથી સાચો શબ્દ પ્રયોગ સારણ (હર્નીયા) જ છે. સારણ મુખ્યત્વે પેડુ ના ભાગ…
શરદીની ગમે એવી એલર્જી દુર થઇ જશે અપનાવો આ ઘરગથ્થું ઉપાય
અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું તાજું બનાવેલું ચુર્ણ ઘસવાથી શરદી, છીંકો, શીરઃશુળ અને મસ્તકના કૃમીઓનો નાશ થાય છે.થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નીયમીત પીવાથી શરદી સારી થઈ જાય છે. ગરમ જળપાનથી શરીરની ગ્રંથીઓના સ્રાવો વધે…
