મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
પનીર પકોડા
પનીર પકોડા-જ્યારે તમે પંજાબમાં મુસાફરી કરતા હો ત્યારે ત્યાંની અતિ પ્રખ્યાત નાસ્તાની વાનગીનો તમને ગમે ત્યાં ભેટો થઇ જશે અને તે છે પકોડા.પકોડા બનાવવા લગભગ કોઇ પણ શાકભાજી જેવી કે પાલક, કાંદા, ફૂલકોબી, બટાટા અને મરચાંનો ઉપયોગ થાય છે અને મજેદાર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેને તળવામાં આવે છે. ખરેખર તો પકોડાનો સ્વાદ તો તે…
બ્રેડ પકોડા બનાવવાની રેસીપી
સામગ્રી – 6 સ્લાઈસ મોટી બ્રેડ, 250 ગ્રામ બેસન, 200 ગ્રામ બાફેલા બટાકા, લીલી ચટણી, મીઠું, મરચુ, અજમો, હિંગ, હળદર, લીલા મરચાં અને લીલા ધાણા સ્વાદ મુજબ. તળવા માટે તેલ. બનાવવાની રીત – બેસનમાં મીઠુ અને થોડુક મરચું નાખીને પ્રમાણસર પાણી નાખી ભજીયા જેવુ ખીરુ તૈયાર કરી લો. બટાકાનો મસાલો – બાફેલા બટાકાને મસળીને તેમા…
ઓપરેશન વગર પથરીને તરત જ ઓગળીને બહાર કાઢવા ખાવી જોઈએ
પથરી બહુ કષ્ટદાયક રોગ છે. તે સામાન્યપણે 30થી 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં થતી જોવા મળે છે અને સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં તેનું પ્રમાણ ચારગણું જોવા મળે છે. આજે ભારતના પ્રત્યેક 2000 પરિવારોમાંથી એક પરિવાક આ પીડાદાયક સ્થિતિથી પીડિત છે, પણ સૌથી દુખદ બાબત એ છે કે આમાંથી કેટલાક ટકા રોગી જ આનો સાચો ઇલાજ કરાવે છે.…
