ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટિપ્સ એકવાર જરૂર વાંચો અને મિત્રો સાથે શેર કરો

    સોય બુઠ્ઠી થઈ જાય એટલે આટલું કરો સોયા બુઠ્ઠી થઈ જાય એટલે કપડાંમાં બટન ટાંકવા કે કપડામાં ઝિલાય કરવામાં કંટાળો આવે છે આમ સોય બુઠ્ઠી થઈ ગઈ હોય તો તેને થોડીવાર સેન્ડ પેપર પર ઘસવાથી તે ફરી વાપરવા લાયક થઈ જશે. healthtips | flower સાબુ અને મીણબત્તી એક એવું વસ્તુ છે કે ઝડપથી પુરી થય…

  • ૫૦-૮૦ વર્ષની વચ્ચે કોણ છે, અહીં કેટલાક સરળ અને ઉપયોગી સૂચનો છે

    તમારી ઉંમર 50 વર્ષની થાય એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ ૫૦-૮૦ વર્ષની વચ્ચે કોણ છે, અહીં કેટલાક સરળ અને ઉપયોગી સૂચનો છે તમારી ઉંમર 50 ની આસપાસ થાય ત્યારે આટલા રેપોર જરૂર કરાવવા જોઈએ હંમેશા તપાસોઃ ૧. બ્લડ પ્રેશર ૨. બ્લડ સુગર ૩. ટ્રાઇગ્લિસરાઇડ્સ ૪. કોલેસ્ટ્રોલ ૫.…

  • દરેક લોકોને કામમાં આવે તેવી 35+ ઘરગથ્થુ ટિપ્સ

    ઘરમાંથી મચ્છર ભગાડવા માટે વપરાયેલી મોસ્કીટો મેટસને ભેગી કરી સળગાવવાથી મચ્છરો ભાગી જશે. મોં માં ચાંદા પડ્યા હોય શરીરનો કોઇ ભાગ દાજી ગયો હોય કે મધમાખી એ ડંખ મારિયો હોય તો આટલું કરો બાવળની છાલ ઉકાળીને તેનાં કોગળાં કરવાથી મોંનાં ચાંદા મટે છે. દાઝેલા ભાગ પર તાંદળજાનો રસ ચોપડવાથી રાહત થાય છે. મધમાખીના ડંખ પર…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles