મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ગાડીમાં એસી કુલીંગ નથી આપતું અપનાવો આ ખાસ ટીપ્સ ગાડીમાં ફૂલ ઠંડુ થઇ જશે
ઉનાળાની ગરમીમાં જયારે પણ તમે કાર લઈને ભાર નીકળો છો ત્યારે ઘણી બધી એવી બાબતો છે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ, જેમકે ગાડીમાં એ,સી બરાબર ચાલે છે કે નહિ, ગાડીના વીલમાં હવા છે કે નહિ, ગાડીમાં બ્રેક બરાબર ચાલે છે નહિ આવી નાની નાની બાબતો ખાસ ધ્યાનમાં લેવી જોઈએ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એટલે…
માંદા માણસને સાજા કરે છે આ શાકભાજી અનેક ગુણોથી સભર ગલકાં અને તુરિયાં
તુરીયાના વેલાના મૂળ ત્રણ દિવસ પીવાથી પાથરી ઓગળી જાય છે , ગુણોથી સભર ગલકાં અને તુરિયાં શાકભાજી ગુણોનો ભંડાર છે. એમાં આજે ગલકાં અને તુરિયાંના ગુણ દોષની વાત કરીએ. ગલકાંનાં ગુણઃ મોટાં ગલકાં મધુર, શીતળ અને દમ, ઉધરસ, તાવ અને કૃમિનો નાશ કરનાર છે. વૈદકશાસ્રએ જ્વર રોગી માટે પણ તેને હિતકારી ગણ્યું છે. તે રક્તપિત્ત…
બારેમાસ અથાણા સાચવવાની ટિપ્સ આ રીતે બનાવશો તો ક્યારેય બગડશે નહિ
અથાણાં બનાવવાની રીત અને અથાણાં સાચવવાની સાચી ટિપ્સ |easy tips | how to make pickle | how to store pickle | અથાણાં બનાવવાની રીત અને અથાણાં સાચવવાની સાચી ટિપ્સ એકવાર જરૂર વાંચી લો અને મિત્રો સાથે શેર કરો આ ટીપ્સથી અથાણા બનાવશો તો આખું વર્ષ દરમિયાન અથાણા બગડશે નહિ અને બારેમાસ અથાણા વાપરી શકશો આખું…
