મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ
દરેક ના ઘર માં ફૂલ ડિશ હોઈ કે પછી શાક રોટલી તો સાથે સાથે સાઈડ માં આવું કૈક ખાવા જોઈ છે. તો ઉનાળા માં ગુવાર શીંગ ને સરસ તડકા માં સુકવી ને પછી વરસાદ હોઈ કે શિયાળો હોઈ ખીચડી ,કઢી કે ફુલ ડિશ સાથે આ સુકવણી ખાસ તળી ને સાઈડે ખાવા માં રાખીએ છીએ.અને ખાવા…
દેશી ગાજરની સિઝનમાં સ્ટોર કરી લો આખું વર્ષ મેળવો આ આયુર્વેદિક ફાયદા
અત્યારે દેશી ગાજરની સીઝન ચાલી રહી છે. મોકો છે સન ડ્રાઇડ કરીને સ્ટોર કરવાનો. ગાજરનું રોજ સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થઈ જાય છે અને લોહ તત્વોની માત્રા વધે છે. હૃદયની કમજોરી અથવા ધબકારા વધતા હોય તેને ગાજર બાફીને ખાવાથી ફાયદો થાય છે. બીમારીમાં ગાજરનો રસ કોઈ પણ બીમારીના દર્દીને લાભકારી બને છે. ગાજરના પાંદડા…
વજન ઉતારવા માટે આખા અઠવાડિયાનો ડાયટ ચાર્ટ વજન ૧૦૦% ઉતરી જશે
એક 1500 કેલરી આહાર જેને ઓછી કેલરી ખોરાક તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે દર અઠવાડિયે 1 lb (0.5 kg) થી 2 lb (0.9 kg) વજન ઘટાડવા માટે થાય છે. નિષ્ણાતો દ્વારા 2lb કરતાં વધુ વજન ઘટાડવાની ભલામણ કરવામાં આવતી નથી. સ્થૂળતાની સારવાર ઓછી કેલરીવાળા આહાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઓછી કેલરીવાળા આહારમાં હોય…
