ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આયુર્વેદની રીતે ઠંડા અને ગરમ પદાર્થ વીશે માહિતી વાંચો

    આયુર્વેદની રીતે ઠંડા અને ગરમ પદાર્થ વીશે: ફાયદાકારક છે ખૂબ જ ફાયદો થાય છે પરંતુ ગરમ પ્રકૃતિવાળું હોવાથી વધારે છે આ ઉપરાંત ચાર રીંગણા ગાજર ગોળ અજમો કેરી પાકલ કેરી પણ વિટામીનગી ધરાવતી ઘણા બધા તત્વો ધરાવે છે પરંતુ તેની અંદર પણ ગરમ પ્રકૃતિ છે એટલે તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે આ ઉપરાંત અંજીર…

  • શિયાળમાં સૌથી વધુ સર્ચ થયેલ રેસીપી વિષે જાણો તમે કઈ રેસીપી સર્ચ કરી છે જરૂર કમેન્ટ કરજો

    શિયાળમાં બધા લોકો સંધના દુખાવાથી પરેશાન હોય છે આવી પરિસ્થિતિમાં ગુંદ ખાવો ખુબ આવશ્યક છે જો શિયાળા ગુંદ ખાવામાં આવે તો અનેક દુખાવાથી બચી શકાય છે તો આજે આપણે ગુંદ બનાવવાની અલગ અલગ રેસીપી શીખીશું રેસીપી ૧ : ગુંદ પાક બનાવવા જરૂરી સામગ્રી નોંધી લો ગુંદ પાક બનાવવાની રીત: સૌપ્રથમ ગુંદરને સાફ કરી તળી લેવો,…

  • જન્મથી મૃત્યુ સુધી ઉપયોગ કરો આ ઔષધી પાનનો ચામડીના રોગ નહી થાય

    આદિવાસી સમાજમાં જન્મથી મૃત્યુ સુધી ખાખરાનો ઉપયોગ થાય છે ખાખરો ઔષધીય ગુણો ધરાવવા સાથે રોજગારી પણ પુરી પાડે છે ખા ખરાના પાનનો ઉપયોગ પ્રાચીન સમયથી અનેક જગ્યાએ થતો આવ્યો છે પણ આદિવાસી સમાજમાં તેનું આગવું મહત્ત્વ છે. આ સમાજમાં જન્મથી લઇ મૃત્યુ સુધી ખાખરાનો ઉપયોગ થાય છે. દેડિયાપાડા તેમજ સાગબારા પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસુડાના વૃક્ષો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles