ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • હસુદાદા એ સમજાવ્યુ કેન્સર થવાના કારણો અને બચવા માટેની ખાસ દેશી ઔષધો વીશે

    કેન્સર ફૂલ પાંચ પ્રકારના છે. જેમાંથી ત્રણ પ્રકાર અસાધ્ય ગણાય છે.કેન્સર થવાના મનાતા કારણો ભેળસેળ વાળો, રંગ રસાયણ વાળો, વાસી,અને ભારે ખોરાક ખાવાથી,તમાકુના વ્યસનથી,મંદાગ્નિ થવાથી,અને વધારે પડતી એન્ટી બાયોટી ક દવાના સેવનથી કેન્સર થાય છે. ઝેરી કેન્સર ઝડપથી પ્રસરી જીવલેણ નીવડે છે. ભારતમાં અત્યારે કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તીએ ૭૦-૯૦નું ગણવામાં આવે છે. દર…

  • ઉપયોગમાં આવે તેવી રસોઈને સરળ બનાવતી રસોઈ ટીપ્સ

    રોટલી મુલાયમ અને એકદમ ફૂલેલી બનાવવા માટેની ટીપ્સ નોંધી લો લોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે. તેમજ પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે તેમા 1 : 5 ના પ્રમાણમાં સોયાબીનના દાણા ઉમેરો . લીલા મરચાને ફ્રિજમાં વધુ દિવસ સુધી તાજા રાખવા માટે તેની દાંડીને તોડીને એરટાઈટ…

  • આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે | શાકનો મસાલો | free recipe

    શાકનો મસાલો બનાવવાની રીત  શાકનો મસાલો દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો ઘરના બધા લોકો આંગળીઓ ચાટતા રહી જશે તો આવો સૌ સાથે મળીને બનાવીએ શાકમાં નાખવાનો ગરમ મસાલો  બનાવવા માટે જરૂર સામગ્રી : ૨ કપ ધાણા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles