મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ખુબ જ ઉપયોગી કામની ૨૭ + કિચન ટીપ્સ જરૂર વાંચો અને મિત્રો સાથે શેર કરો
જો તમે ટામેટાની છાલ કાઠવા માંગતા હોય તો આ ઉપાય જરૂર કરજો ટામેટાંની માત્ર છાલ કાઢવી હોય તો એની ઉપર ખૂબ ગરમ પાણી રેડવાથી છાલ નીકળી જશે. જો તમારી ઘરે લાકડાના ફર્નીચરમાં જીવ જંતુ થઇ જતા હોય તો આ કામની ટીપ્સ જરૂર અજમાવજો લીંબુની છાલ તડકામાં સૂકવીને લાકડાના કબાટમાં મૂકી રાખવાથી જીવજંતુ નહીં થાય ,…
કાળી પડેલ ચાંદી અને તાંબા-પિત્તળની ભગવાનની મૂર્તીઓ ચમકાવવાની સરળ રીત
આપને સૌર મંદિરમાં મૂર્તિ ચાંદી-પીતળ અને તાંબાની રાખતા હોય છી આ ભગવાનની મૂર્તિ સમય જતા કાળી પડી જાય છે તેમજ આપણે સૌ પીતળ કે તાંબાના લોટા પણ વાપરતા હોય છીએ તો આ ચાંદી-પીતળ અને તાંબાના વાસણ ચમકાવવા માટે સરળ ટિપ્સ અહીં જણાવામાં આવી છે. આમલીના ઉપયોગથી ચાંદી-પીતળ અને તાંબાના વાસણ તેમજ ભગવાનની મૂર્તિ કેવી રીતે…
કિચન સુપર સ્માર્ટ બનવા માંગો છો વાંચી લો આ ૭ કિચન ટીપ્સ
દરેક ઘરમાં નિયમ હોય છે રસોઈ માપીને બનાવવા છતાં રસોઈ વધે છે અને ઘણી વખતે ઘરમા આપણે ગમે તેટલું માપીને રસોઇ બનાવીએ અમે છતા રસોઇ વધતી નથી આવામાં અનેક લોકો ભુખ્યા મરે છે જેમને રાંધેલુ ધાન મળતુ નથી. તો શું આવું ના બને એ માટે આપણે રસોઈ વધારે બનાવીને ફેકી દેવી જોઈએ? તો આપણે રસોઇ…
