ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક મહિલાને કામમાં આવશે આ રસોઈ ટીપ્સ

    (1) ચકરી બનાવવાનો લોટપ્રમાણસર પલાળવો . જો વધુઘટ્ટ કે પાતળું થઈ જાય તો ચકરી ક્રિસ્પી નથી થતી . (2) ઘુઘરા , શક્કરપારા વગેરેમાં શક્ય હોયતો ઘીનું મોણ વાપરવું , જેથી વાનગી વધુ ક્રિસ્પી બનશે . ………. (3) ભાખરવડી બનાવો ત્યારે ચણાનો લોટ બાંધો અને તેમાં મોણ બિલકુલ ન નાખતા . નહીંતો તળતી વખતે ભાખરવડી તૂટી…

  • ઉપયોગમા આવે તેવી મહત્વની ઘરગથ્થુ ટીપ્સ

    રાત્રે શેકેલા ચણા ખાઈ , ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે . ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે . અવાજ બેસી ગયો હોય તો ગાયના દૂધમાં આંબળાં લેવાથી ફાયદો ગરમ કરેલા દૂધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સાદ બેસી ગયો હોય…

  • આ ચાર પ્રકારનાં આસન કરવાથી અનેક રોગો દુર થાય છે

    ભ્રામરી પ્રાણાયામ રીતઃ પહેલી આંગળી કપાળ ઉપર , બાકીની ૩ આંગળી આંખોના ખૂણામાં રાખી . અંગૂઠાથી કાનનુ છિદ્ર દબાવી ૐ નું ગુંજન નાભીમાંથી કરવું . લાભ : કેન્સર , હદયનો રોગ , આધાસીસીનો દુઃખાવો , નેત્રરોગ , માનસિક તણાવ તથા બ્લડપ્રેશર વગેરેમાં ખૂબ જ લાભદાયક છે . ભસ્ત્રિકા પ્રાણાયામ રીત : શ્વાસ ભરતાં મુઠ્ઠી ખોલી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles