મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આ 5 વસ્તુઓના સેવનથી કેલ્શિયમની કમીના લીધે વધતી ઉમર દેખાશે નહીં હમેશાં યંગ દેખાશો
આ 5 વસ્તુઓમાં પણ હોય છે કેલ્શિયમ , વધતી ઉમરની પરેશાનીથી બચવું છે ? : આ અજમાવો તમે યંગ છો તો તમને હાડકાઓની સમસ્યાના કદાચ સામનો નહી કરવુ પડી રહ્યું છે પણ એવું ન હોય કે તમને ક્યારે પણ ખાનપાનની ખોટા ટેવથી તમારી વધતી ઉંમરમાં મુશ્કેલી પડી જાય . શું તમે અત્યારેથી કેલ્શિયમના સ્ટોર કરવું…
13 કિચન ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ
(1). શાકને રસાવાળું બનાવવા વઘાર કરી પાણી નાખવાને બદલે તમે જે ડીશ ઢાંકો છો તેમાં પાણી નાખો અને તે પાણી ગરમ થાય પછી એ પાણી શાકમાં નાખો , તેનાથી શાક રસાવાળું તેમજ ઓછા તેલમાં વઘાર્યા છતા તેલ દેખાશે અને કાચું પણ નહી રહે .(2). લીલી ચટણી બનાવતી વખતે તેમાં પાણીનાં બદલે બરફ નાખશો તો તેનો…
દરેક વિટામીન અને તેના કાર્ય વીશે વધુમાં જાણો
દરેક વિટામીન અને તેના કાર્ય વીશે વધુમાં જાણો | વિટામીનનું આપણા શરીરમાં કાર્ય શું છે | વિટામીનની ઉણપ હોય તો ક્યાં ક્યાં રોગો થાય છે | આ બધા વિટામીનની ખામી દુર કરવા શું કરવું જોઈએ વિટામીન A આંખો ની વૃષ્ટિ અને રોગપ્રતિકારક શક્તિને સુધારે છે , સામાન્ય રીતે શરીર વધાવાવા માટે અને પુષ્ટ થવા માટે…
