મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
મેગી મસાલો બનાવવાની પરફેક્ટ રીત
નાના બાળકો સહિત મોટા લોકો ને પણ મેગી ખુબ ભાવે છે અને અેક મેગી મસાલાની વાત આવે એટલે બઘા અાંગડા ચાટતા રહી જાય દરેક લોકોને મેગી મસાલો ખૂબ ભાવે આજે આપણે મેગી મસાલો બનાવવાની પરફેક્ટ રીત શીખીશુ……… ઘરેજ બનાવો મેગી મસાલા હંમેશા બાળકોને મેગી ખાવાની જિદ કરે છે . પણ ક્યારે ક્યારે મેગી ઘર પર…
બજાર જેવુ શાહી પનીર અને હોટ ગાર્લિક પનીર
બજાર જેવી શાહી પનીર બનાવવાની પરફેક્ટ રેસીપી નોંધી લો એકવાર જરૂર ટ્રાય કરજો શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી – પાંચસો ગ્રામ પનીર – પાંચ નંગ ટામેટાં – બે નંગ લીલા મરચાં – એક ટુકડો આદુ – બે ચમચી ઘી અથવા તેલ -એક નાની ચમચી જીરું – સવા ચમચી હળદર પાવડર – એક ચમચી ધાણાં પાવડર – સવા ચમચી લાલ મરચું પાવડર –…
આસન કરતી વખતે આ સુચનાઓ ખાસ ધ્યાન આપજો તો જ આસન કર્યુ લેખે લાગશે
આવશ્યક સૂચનો ( ૧ ) આસનો બિલકુલ ખાલી પેટે કરવાં અથવા ભોજન બાદ છ ક્લાકે . દૂધ પીધા બાદ બે કલાકે કરી શકાય . આસન કર્યા બાદ અડધા કલાકે કંઈક ખાવું – પીવું જોઈએ . ( ૨ ) શૌચ – સ્નાનાદિથી પરવારીને આસનો થાય તો વધારે સારું . ( ૩ ) માં દ્વારા શ્વાસ ન…
