મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
કોરોનાના હળવા લક્ષણ હોય ત્યારે ફક્ત આટલું કરો હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી
ટેલિમેડિસિનથી નીચેના દર્દીઓની સારવાર શક્ય નથી: મધ્યમથી ગંભીર કોરાનાનો ચેપ. અન્ય બીમારી જેવી કે ડાયાબીટીસ, હાર્ટની બીમારી, બીપી સાથે કોરાનોનો ચેપ હોવો. જે દર્દીઓને આઈ.સી.યુ/મોનીટરીંગ ની જરૂર હોય……..કોરોનાના હળવા લક્ષણો હોય ત્યારે ઘરે જ સારવાર કેવી રીતે કરવી તેના વિશેન માહિતી નીચે આપેલી છે…… કોરોનાના દર્દીએ નીચેના સાવચેતી ના પગલા લેવા જરૂરી છે. આઈશોલેશન /…
ઉનાળામાં પાણીની કમી નહીં થવા દે આ ખોરાક ડોકટર પણ ખાવાની સલાહ આપે છે
ઉનાળામાં શરીરમાં પાણીની કમી નહીં થવા દે આ ખોરાક ડાઉટર પાણી પીવાની ભલામણ કરે છે , પરંતુ દરેક વ્યક્તિ માટે દરરોજ બે લિટર પાણી પીવું શક્ય નથી , કોઈને તરસ વધુ લાગે છે તો કોઈને ઓછી લાગે છે . આવી સ્થિતિમાં દેખીતી બાબત એ છે કે ઓછી તરસ લાગતા લોકો પાણી પણ ઓછું પીતા હશે…
ઉપયોગમાં આવે તેવી ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ
1). ફ્લાવર સમારતી વેળા તેમાં ભરાયેલી ઈયળો ઘણી વાર નાકે દમ આણી દેતી હોય છે . તેથી ફ્લાવર સમારતાં પહેલાં મીઠાના ગરમ પાણીમાં થોડીવાર ડૂબાડી રાખો . મીઠાનું પાણી તેમાં છુપાયેલી ઈયળોને બહાર આવવા મજબૂર કરી દેશે . 2). કપડાં ધોતી વેળા શર્ટસના કૉલર સાફ કરવા સૌથી મુશ્કેલ કામ હોય છે . ફરી જ્યારે તમે…
