ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શરીરમાં ઓક્સિજન લેવલ વધારવા રોજ આના બે પાનનું સેવન કરો

    છાતીમાં દુખાવા સાથે ઉદરસ થતી હોય તેવા સમયમાં પીપળાના પાંદડાનું સેવન કરવું તે લાભદાયી છે . આયુર્વેદ સાથે સંકળાયેલા સલાહકાર કોરોનાની હાલની સ્થિતિમાં દર્દીઓને શરીરમાં પુરુતુ ઓક્સિજન મળી રહે તે માટે નવા- નવા નુસ્કાને ઉપયોગમાં લેવા માટે કહેતા હોય છે . સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . ત્યારે કોરોનાથી બચવા માટે…

  • તમામ રોગોનો નાશ કરનાર હરડે તમારી પાસે હોય તો ડોક્ટર પાસે જવાની જરૂર નથી

    એકવાર રાજકુમારી તેની સખીઓ સાથે વનમાં શિકાર કરવા ગઇ . તેણે એક હરણ પર નિશાન તાકીને તીર છોડ્યું . પરંતુ એ તીર એક રેતીના ઢગલામાં જઇને ખૂંચી ગયું . એમાંથી એક ચીસ સંભળાઇ . એ રેતીનો ઢગલો ન હતો . એક ઋષિ ત્યાં વર્ષોથી તપ કરી રહ્યા હતા અને રાજકુમારીના તીરે તેમની આંખો ફોડી નાખી…

  • રૂ. ૮૦૦ થી રૂ. ૧૦૦૦ના કિલોના ભાવે મળતા મખાણા આખરે કેવી રીતે બને છે

    કમળના બીયાંને મખાણા કહેવામાં આવે છે. જે અંગ્રેજીમાં ‘લોટસ સીડ’, ‘ફોકસ નટ’ અને ‘પ્રીકલી લીલી’ જેવા નામોથી ઓળખાય છે. દુનિયામાં મખાણાનું જેટલું ઉત્પાદન થાય છે એના ૯૦% ઉત્પાદન ભારતમાં અને ૮૦થી ૯૦% ઉત્પાદન બિહારનાં મીથીલાંચલ ક્ષેત્રમાં થાય છે. મખાણામાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિંકનું ભરપૂર પ્રમાણ હોય…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles