મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
વધુ પડતા ઓડકાર, પેટમાં આંટી આવવી, ઝાડા, મરડો, કૉલેરા, કૃમિ માટે ઘરે બનાવો આ લસણની ગોળી
લસણની ગોળી : ૧૦૦ ગ્રામ લસણ , શેકેલી હીંગ , લીંડીપીપર , જમો , કાળાં મરી , સુંઠ , સિંધવ , જીરુ , કલોંજી જીર અને દાડમનાં બી દરેક ૧૦-૧૦ ગ્રામ અને લોબાન ૨૦ ગ્રામ લઈ પ્રથમ લસણને લસોટી બાકીના દ્રવ્યોનું વસ્ત્રગાળ ચૂર્ણ મેળવી લીંબુના રસમાં ઘૂંટી ઘટ્ટ થાય ત્યારે વટાણા જેવડી ગોળી બનાવવી જમ્યા…
આમવાત, પગના ગોટલા ચડવા, પડખા દુખવા, કમર દુખવી માટે ઉત્તમ ઔષધ
કપૂર અત્યંત કામોત્તેજક , પીડાયુક્ત , શિશ્નનું ઉત્થાન અને વીર્યપાત વગેરેમાં કપૂર ખૂબ જ ઉપયોગી ઔષધ છે . વીર્યપતન રોજ થતું હોય તો રાત્રે સૂતી વખતે . બે ચોખાભાર અથવા બે રતિ કપૂરની ગોળી ખુરાસાની અજમા સાથે બનાવી ગળી જવી . સ્ત્રીઓમાં અધિક કામવાસના , યોનિમાં ખંજવાળ અને માસિક વખતના દુખાવામાં ૧ થી ૨ રતિ…
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો ગભરાવ નહી ધરે બનાવો આ પોટલી ઉપચાર
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે એટલે ગભરાટમાં આવી જવું નહીં – પોઝિટિવ વિચારો આયુર્વેદિક હોસ્પિટલના ડો . જયેશ પરમારના સૂચનો હળદર અને મીઠું નાખી , દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરો . ગળામાં ખરાશ કે કફ હોય તેવું લાગે તો એક ચમચી આદુના રસમાં ચપટી હળદર અને પાંચથી સાત ટીપા મધ નાખીને પી જવું , તેની…
