ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ રીતે જાણો શરીરમાં ઓક્સીજનનુ લેવલ કેટલુ છે

    શરીરમાં ઓક્સીજનની ઉણપ હોયતોમળે છે ઓકિસજનની ઉણપથી સૌથી પહેલા વ્યક્તિને થાક લાગે છે . શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શ્વાસ ફૂલવા લાગે છે . જે પછી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે . શરીરમાં ઓકિસજનની ઉણપ થાય તો તે અનેક રોગોનું કારણ બને છે . ઓકિસજનનું લેવલ ઓછું થવા સૌથી વધારે જલદી અને સૌથી…

  • ચૈત્ર માસમાં કરો આનું સેવન આખું વર્ષ રહેશો નીરોગી

    લીમડો : ( ૧ ) લીમડાની અંતરછાલનો ઉકાળો તાવ મટાડે છે . ( ૨ ) ચામડીના પ્રકારના રોગો લીમડાના પાનના રસ કે તેની છાલના ઉકાળાથી મટે છે . ( ૩ ) સફેદ કોઢ જેવા જટીલ રોગ પણ લીમડાનું લાંબો સમય સેવન કરવાથી મટે છે . ( ૪ ) ગમે તેવો ન રૂઝાતો ઘા કે પાક…

  • આનું લાકડું પાણીમાં પલાળીને પીવાથી ડાયાબીટીસ 400 હોય તો પણ કન્ટ્રોલમાં રહે છે

    બીયોના લાકડામાંથી વાદ્યો બને છે | બીયોવૃક્ષની માહિતી આપતા જણાવ્યું હતું કે તે પ્રતિબંધિત વૃક્ષ છે. તેનું લાકડું ઠંડી કે ગરમીમાં ફૂલતું કે સુકાતું નથી. તેનો ઉપયોગ વાદ્ય બનાવવા તથા દંતશૂળ માટે થાય છે. નેચરવૉક દરમિયાન પીપર, કાચકા અને મહુડા વિશે જાણકારી અપાઇ હતી. પીપર કફની ઉત્તમ દવા અને તીવ્ર અગ્નિઉદ્દિપક છે. તાજી પીપર ભોજનમાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles