ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ રીતે ઘરે બનાવો લાંબા સમય સુધી સારી રહેતી એલોવેરા જેલ

    આ રીતે ઘરે બનાવો લાંબા સમય સુધી સારી રહેતી એલોવેરા જેલ , જેલ , ખૂબ જ સરળ છે તેની રીત એલોવેરાને ફક્ત ત્વચા માટે જ નહીં , પણ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે . એલોવેરા એક ઉપયોગી પ્લાન્ટ છે જે આજકાલ દરેક ઘરમાં જોવા મળે છે . તેના પાંદડા ભેજયુક્ત ગુણધર્મોથી ભરેલા…

  • કોઈ અમૃતથી ઓછુ નથી આ ઔસધ જાણીને ચોંકી જશો

    જંગલ..જલેબી…!!!ગોરસ આમલી – વિલાયતી આમલી… ગોરસ આમલીના બીયામાં યાદો બાળપણની ….. શું…શ ………..એય ધીમેથી બોલ ! કેમ ?અરે જોતો નથી હું આ બીયો (બીજ) છોલું છું !! ચુપ ચાપ બેસ ! તું બોલીશને તો આ બીયો બટકી જશે !!! મતલબ જો બીયો છોલતી વખતે બિયાનું કત્થાઇ રંગનું પડ આખું જો આખ્ખે આખ્ખું નીકળે તો જે…

  • કોલેસ્ટ્રોલ વધવાનુ મુખ્ય કારણ છે તેલ તો જાણો બજાર માં મળતા તેલ ની સત્યતા

    બજાર માં મળતા તેલ ની સત્યતા કોલેસ્ટ્રોલ વધવાના કારણે ઘણા રોગો થાય છે જેમકે હ્ર્દયઘાત , ડાયાબિટીસ , હાઈબીપી , લોહી ઘાટું થવું , હદયના ધબકારા ઘટવા જેવા અનેક રોગ થાય છે. કોલેસ્ટ્રોલ વધવાનું એકમાત્ર કારણ હોય તો એ છે તમારું તેલ. અત્યાર ના મોટા ભાગ ના લોકો માં ઉપર જણાવેલ રોગો થવાનું કારણ પણ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles