મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
કેન્સરમા હજારો લાખો તો ખર્ચ કરી નાખ્યા પરંતુ હવે બીજા નહી, ઘણી બીમારીઓ નો દુશ્મન છે આ ઔષધી
હજારો લાખો તો ખર્ચ કરી નાખ્યા પરંતુ હવે બીજા નહી, ઘણી બીમારીઓ નો દુશ્મન છે આ ઔષધી વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે આ ઔષધી થી જેટલા ગુણ મળે છે તે તમે હજારો ખર્ચીને પણ નહી મેળવી શકો. ચિયાના બીજ (Chia Seeds for Health) જેને ગુજરાતી માં તકમરિયા કહે છે. આના ફાયદા ની સાથે વધુ ઉપયોગ…
આંબળાની કટકી અને આંબળાની ચટણી બનાવવાની રીત
આંબળા ની કટકી 500g આંબળા 500g સુગર 1ટી સ્પૂન ઈલાયચી દાણા 1/2 ટી સ્પૂન વાટેલી ઈલાયચી 20 તાર કેસર 5 નાના ટુકડા તજ 6 લવિંગ 7 દાણા મરીયા 50ml પાણી 1/2 સિંધવ મીઠું 1ટી સ્પૂન સુંઠ પાવડર 1/2 ગંઠોડા પાઉડર રીત: આંબળા ના નાના ટુકડા કરી લો પછી અધકચરા બાફી લો (જેમ ઢોકળા બનાવીએ એમ)…
વજન ઓછું કરવા માટે ખાવ વટાણા તે શરીરને રાખશે સ્વસ્થ
ઋતુ અનુસાર ફળ અને શાકભાજી ખાવાથી શરીરમાં કેટલાંક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો શાકભાજીની વાત કરીએ તો શિયાળામાં વટાણા સૌથી વધારે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. લીલા વટાણા ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર થાય છે. લીલા વટાણામાં કેલેરી, કાર્બહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામીન જેવા જરૂરી પોષક તત્ત્વો હોય છે, જે કેટલીકં બીમારીઓને…
