મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શરીરમાં વાયુનાં લીધે થતા વિકારોને હાંકી કાઢતું દમામદાર ઔષધ
તમામ પ્રકારના દુ:ખાવા માટે હિંગ, સંચળ અને સૂંઠનો ઔષધયોગ ખૂબ જ ઉપયોગી છે. સ્પેનિશ લોકો અને આપણા આદિવાસીઓ ફ્લુમાં ગળે હિંગની પોટલીઓ બાંધતા…પાંચથી આઠ ફૂટ ઊંચા હિંગનાં વૃક્ષો થતાં હોય છે. તેના મૂળમાં છેદ કરવાથી એક પ્રકારનો રસ નીકળે છે અને ગઠ્ઠા સ્વરૂપે ત્યાં જ જામી જાય છે. તેને ઉખેડીને વપરાશમાં લેવામાં આવે છે. હિંગના…
મધ અને તજ સાથે લેવાથી થાય છે ગજબના ફાયદા વાંચો અને શેર કરો
આપણા ભારતીયમાં દરેક મસાલા ઔષધીય રીતે ઘણા મહત્વના છે. તેવી જ રીતે મધ અને તજના ઔષધીય ગુણો ઘણા સ્વાસ્થ્યવર્ધક પણ છે તે જોઈએ. કહેવાય છે કે મધ અને તજના પાવડરનું મિશ્રણ ઘણાં રોગો પર ઉપયોગી છે. શરદીસામાન્ય કે તીવ્ર શરદીથી પીડાતા દર્દીએ એક ચમચો હૂંફાળા મધમાં પા ચમચી તજનો પાવડર મેળવીને ત્રણ દિવસ સુધી રોજ…
તમારા શરીરમાં આ લક્ષણો દેખાય તો તરત કરો આ કામ જીવ બચી જશે,
આમ તો હાર્ટએટેક કુદરતે આપેલ સ્વર્ગે જવાની સૌથી શ્રેષ્ઠ સીડી છે..પણ એનાથી બચીને હોસ્પિટલ સુધી પહોંચવાનો ઘરઘથ્થુ ઉપચાર વિશે જાણીએ.. એકાએક છાતીમાં દુ:ખાવો થાય અને તે હાથ તરફ અને જડબા સુધી પ્રવેશવાનો શરૂ થાય તો હાર્ડએટેકની શક્યતા છે. હાર્ડએટેક વખતે મોટ ભાગના લોકો એકલા જ હોય છે. હૃદયના ઘબકારા અનિયમિત થઇ જાય, તમ્મર આવવાનાં હોય…
