મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ચાનો મસાલો બનાવવાની પરફેક્ટ રીત
ચા પીધા વગર ચાલતું જ નથી (without tea) . અનેક લોકોની તો દિવસની શરૂઆત જ ચા tea સાથે થાય છે અને ચા પર ખતમ થાય છે. ચા લોકોની જીંદગીથી ઘણી હદ સુધી જોડાઇ ગઇ છે.. જેનાથી તે ઈચ્છવા છતા પણ દૂર નથી શકતા. તો કેટલાક લોકો મસાલા વાળી પરફેક્ટ ચા પીવા માટે પણ ટેવાયેલા હોય…
૩૦ કે ૩૫ વર્ષ પછી દરેકે શારિરીક શ્રમ ઓછો પરંતુ આ ખાસ વાતનુ ધ્યાન રાખવુ જરૂરી છે વાંચો અને શેર કરો
૩૦ કે ૩૫ વર્ષ પછી મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓનો શારિરીક શ્રમ ઓછો અને જરૂરિયાતની કુલ કેલરી કરતાં ખોરાક વધારે હોવાને કારણે પેટ ઉપર ચરબી જામવા માંડે છે. ૧. તમારું વજન કેટલું હોવું જોઇએ ? ઊંચાઈ (સેમી) વજન (કિગ્રા.) ૧૫૦ થી ૧૫૫ ૫૭ થી ૬૧ ૧૫૫ થી ૧૬૦ ૬૨ થી ૬૯ ૧૬૦ થી ૧૬૫ ૬૯ થી…
ખોરાકમાં તાજા ફળો અને લીલા શાકભાજીથી રોગ પ્રતિકારક શક્તિ, વિટામિન, કેલ્શિયમ ભરપુર પ્રમાણમા મળે છે
How to improve emunity power. રોજના ખોરાકમાં તાજા ફળો green fruit and vegetables અને લીલા શાકભાજીની અગત્યતા કેટલી ગણાય ? લીલા શાકભાજી અને તાજા ફળોનો ખોરાકમાં સમાવેશ કરવાથી જમવાનો સંતોષ સાથે . કેલરી ઓછી જવાને કારણે તેમનું વજન ઓછું થાય તે સ્વાભાર્વિક છે પણ તેઓ તેમ કરી શકતાં નથી . આરોગ્યના અનેક ફાયદા હોવા છતાં…
