ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • તમે જાતે તમારા ડોક્ટર બનો આ આયુર્વેદિક અકસીર ઈલાજ જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો

    ગભરામણ થતી હોય તો ગભરામણ થી બચવા માટે ઉપાય ઘરે કરવો ગાય ભેસ ગધેડા કે ઘોડાની તાજી લાદ કે છાણમાંથી પાણી મેળવી ખૂબ હલાવી કપડાથી ગાડી ગભરામણ ના રોગોની એકાદ ગ્લાસ પીવડાવવાથી ગભરામણ તરત શાંત થાય છે શરદી ના લીધે ગળુ બેસી ગયું હોય તો ગળુ સાફ કરવા માટેની ટીપ્સ ગળું બેસી ગયું હોય તો…

  • ઉપયોગમાં આવે તેવી મહિલા માટેની કિચન ટીપ્સ | રસોઈ ટિપ્સ | rasoi tips | kitchen tips

    લોટમાં જીવાત(ઘનેડા) થઇ ગયા હોય તો | ચોખાને ઘનેડાથી બચાવવા માટે | લસણને ઝડપથી ફોલવા માટે | ઘરમાં રહેલા ડુંગળી બટાકા અંકુરિત થઈ જતા હોય તો | મિક્ચર જાર માંથી સરળતાથી ચિકાસ કાઠવા માટે | જ્યારે પણ લોટ ભરો, અંદર જૂનો લોટ ના હોય એ વાત નું ધ્યાન રાખો, જૂનો લોટ હોય તો એને અલગ…

  • ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને મીત્રો સાથે શેર કરો

    મગ, મઠ, અડદ, તલ વગેરેમાં એરંડાના બી નાંખવાથી એ સડતાં નથી કે એમાં જીવાત પડતી નથી. સોનાચાંદીના દાગીનાને ચમકાવવા માટે અરીઠાનાં પાણીમાં કે બાફેલ બટાટાના પાણીમાં થોડીવાર રાખીને બ્રશ ઘસતાં જ એ ચકચકિત થઈ ઊઠશે. મીઠાને ભેજ ન લાગે તે માટે મીઠાની બરણીમાં ચોખાના દાણા નાંખી દેવા. બટાટા બાફતી વખતે પાણીમાં થોડું દૂધ નાંખવામાં આવે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles