મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આ 10 પોઈન્ટ રોજ દબાઓ 50 પ્રકારની બીમારીઓ થશે દૂર
પેરીકાર્ડિી ( PG ) આપોઈન્ટ હથેળીઓથી લગભગ2 આંગળી નીચે કાંડા પર હોય છે આને દબાવવાથીબેચેની મોશનસિકનેસ વોમિટિંગ , પેટમાં ગરબડ માથામાં દર્દ ચેસ્ટપેઈન અને હાથ માં દર્દમાં રાહત મળે છે . જોઈનિષદ વેલી ( LI4 ) જ આપો ઈન્ટ અંગૂઠો અને ઈન્ડેક્સ ફિંગરની વચ્ચેની ચામડીવાળી જગ્યા પર હોય છે આને દબાવ વાથી માથાનો દુખાવો દાંતા…
6 મહિના સુધી એર ટાઇટ કન્ટેનરમાં સારો રહે તેવો ટામેટા ઝામ ઘરે બનાવવાની રેસીપી નોંધી લો
આજે ટમેટા ઝામ ઘરે બનાવવાની રેસિપી શેર કરું છું, ૬મહિના સુધી એર ટાઇટ કન્ટેનર માં સારો રહેશે.. બનાવવા માટે જોઈશે આ સામગ્રી – ૨૫૦ ગ્રામ પાકા ટામેટા ૨૫૦ ગ્રામ ખાંડ ૩નંગ કાશ્મીરી મરચા ની પેસ્ટ અડધી ચમચી મરી પાવડર મીઠું સ્વાદાનુસાર ૪ નંગ મરી ૨ લવિંગ ટુકડો ૧ નાનો તજ નો ટામેટા ઝામ બનાવવાની રીત…
છાતીના કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો
કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે……………. અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે………. દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે………….. તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે…
