મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
દવા વગર શરદી મટાડવાના કેટલાક ઘરગથ્થું ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો
શરદી-તાવસામાન્ય શરદી અને તાવ હોય તો એક કપ ગરમ દુધમાં એક નાની ચમચી હળદર નાખી દીવસમાં ત્રણેક વખત પીવાથી સારું થઈ જાય છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે. ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે. સૂંઠ,…
કચ્છની પ્રખ્યાત ચીઝ દાબેલી બનાવવાની રેસીપી વાંચો અને શેર કરો
ચીઝ દાબેલી દાબેલી એ કચ્છનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જેને ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે. દાબેલીની શોધ માંડવી, કચ્છનાં કેશવજી ગાભા ચુડાસમા એ ૧૯૬૦ માં કરેલી. હવે તો દાબેલી એ ગુજરાતનાં દરેક શહેર તથા નાના-મોટા ગામમાં તથા વિદેશમાં પણ મળે છે. હું મણિનગર, અમદાવાદ રહું છું અને અહીંયા કર્ણાવતીની દાબેલી પ્રખ્યાત છે. દાબેલીનો સૂકો…
સવારે ઉઠીને ખાવ આ પાંચ પ્રકારના ફળ આખો દિવસ રહેશે એનર્જી અને ક્યારેય બીમાર નહિ પાડો
ફળોને ડાયજેસ્ટ કરવું એ આપણા શરીર માટે સૌથી સહેલી વસ્તુ છે અને આપણા શરીરને અપાર લાભ આપે છે. બધાં ફળો તમારા સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ આપણે તે ત્યારે જ ખાવું જોઈએ જ્યારે તે સંપૂર્ણ સુપાચ્ય હોય અને આપણા શરીરને શક્તિ આપશે. ફળો ખરેખર શ્રેષ્ઠ ખોરાક છે. આપણા શરીરને ડાયજેસ્ટ કરવા માટે આ સૌથી સહેલું…
