મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
હોટેલમાં મંગાવો તો 50-60 રૂપિયા ખર્ચવા પડે, તો ઘરે સાવ સરળ રીતથી બનાવો મસાલા પાપડ
મસાલા પાપડ માટે અડદની દાળના મરી વાળા પાપડ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જો આ પાપડ ન હોય તો બીજા પણ વાપરી શકો. મસાલા પાપડ એક એવી વાનગી છે જે બને તેવી તરત જ સર્વ કરી દેવી જોઈએ નહિં તો પાપડ પોચો પડી જશે અને ખાવાની મજા નહિ આવે.મસાલા પાપડ બનાવવામાં જરૂરી સામગ્રી 2 કે 3…
ગંઠોડાના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણો પેટના અનેક રોગોને બહાર કાઢશે
પીપરની વેલનાં મૂળને આપણે ‘ગંઠોડા’ કહીએ છીએ. આ વખતે અનિદ્રાના આ ઉત્તમ આયુર્વેદીય ઔષધ પીપરીમૂળ એટલે કે ગંઠોડાનાં ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જોઇએ. પીપર કરતા ગંઠોડા થોડા સૌમ્ય હોય છે. તે કદમાં જેમ મોટા અને વજનદાર હોય તેમ વધારે ગુણકારી ગણાય છે. આયુર્વેદ પ્રમાણે ગંઠોડા સ્વાદમાં તીખા, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હલકા, પાચક, પિત્ત…
