મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
બીડી સિગારેટના ધુમાડાથી થાય છે મોતિયાનું જોખમ જાણો મોતિયાથી બચવાના ઉપાયો
– ભારત જેવા ઉષ્ણકટિબંધના પ્રદેશને કારણે આંખ પર સૂર્યપ્રકાશ વધુ પડતો આવે છે. તેથી પણ ભારતમાં મોતિયાનું પ્રમાણ વધુ રહે છે એક અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે તમાકુના ધુમાડા સહિતનો કોઈ પણ ધુમાડો શ્વાસમાં લેવાથી આંખે મોતિયો આવે છે અથવા આંખના લેન્સ પર છારી બાઝી જાય છે. તમાકુ અને લાકડાના ધુમાડાને પાણીમાંથી પસાર કરવામાં…
બાવળનો ગુંદર ડાયાબીટીસ માથાનો દુખાવો, કમર દર્દ, ખાંસી જેવા અનેક રોગો માટે લાભકારી છે વાંચો અને શેર કરો
આ કાંટાળો બાવળ ખરેખર ખુબ “કામ” ની ચીજ છે.આ બાવળના ફાયદા ગણ્યા ગણાંય નંહી અને વિણ્યા વિણાય નંહી એટલા છે. તેમાંના થોડાઆ રહ્યા… ૧.દાંત ના રોગોમાં અકસીર છે. પાયોરીયા હોય કે પછી દાંત દુખતા હોય આ બાવળના પૈઇડા ને ચાવી જાવ દુખાવો ગાયબ. અને સુકા પૈઇડા માંથી ચુર્ણ બનાવીને ડબ્બી ભરીરાખો અને કરો દંત મંજન…
સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે અપનાવો આ ટિપ્સ, એકદમ બહાર જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બનશે !!
સેન્ડવિચ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી: 1 કપ તૂવેર દાળ 1 કપ ચણાની દાળ 1/2 કપ મગની દાળ 1/2 કપ અડદની દાળ 6 કપ ચોખા અથવા ચોખાનો લોટ 2 ટેબલસ્પૂન આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 કપ ખાટું દહીં 1 ટીસ્પૂન ફ્રેશ યિસ્ટ 1 ટીસ્પૂન હળદર 1 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન રાયના દાણા…
