ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • લાંબા સમય સુધી મરચાને તાજા રાખવા માટે અપનાવો આ ટીપ્સ

    દરેક ભારતીયના રસોડામાં લીલા મરચાંનો ઉપયોગ હોય છે જે રસોઈને તીખું અને ચટપટો બનાવે છે. શાકના સિવાય તેનો ઉપયોગ ચટની, ભડથું અને ભજીયામાં પણ કરાય છે. પણ વધારે દિવસો સુધી લીલા મરચાંને સ્ટોર કરવું મુશ્કેલ છે કારણકે આ જલ્દી જ સૂકી અને કાળી પડી જાય છે. જો તમે લાંબા સમય સુધી લીલા મરચાંને ફ્રેશ કરીને…

  • લસણનું સ્વાદિષ્ટ અથાણું

    300 ગ્રામ કળીઓ વિનાનું પહાડી લસણ, 1 કપ સરકો, …1 ચમચી વાટેલી વરિયાળી, 1 ચમચી વાટેલી મેથી, 1 ચમચી વાટેલું જીરું, 1 ચમચી મરચું, 100 ગ્રામ ગોળ, 20 ગ્રામ વાટેલું આદુ, 50 ગ્રામ રાઈ, 10 ગ્રામ કિશમિશ, 250 ગ્રામ તેલ, 30 ગ્રામ તલ, 1 મોટો ચમચો હળદર, 1 મોટો ચમચો મરીનો પાઉડર, 1-1/2 ચમચી મીઠું.…

  • આ રીતે કરો લાલ ચંદનનો ઉપયોગ ગમે એવા ખીલ દુર કરશેકાયમ માટે

    અત્યારની વ્યસ્ત જીવનશૈલીના કારણે સ્કીનનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આ પ્રદૂષણ ને ખરાબ ખાન પાનની રીતે જોઈએ તો સ્કીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને જ્યારે સ્કીન ડેમેજ થાય ત્યારે આપણે ટીવીમાં આપવામાં આવતી લોભામણી જાહેરાત વાંચીને મોંઘા ભાવે એ ખરીદી લાવી ને ઇનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ સ્કીન…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles