મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઘરની સાફ સફાઈ કરવા માટે આ ઘરગથ્થુ ઉપાયો અજમાવો
આજે દરેકના ઘર ની ટાઇલ્સ, બાથરૂમ, કે પછી કિચન જેવી દરેક વસ્તુઓ પર ખરાબ ડાઘા થઇ જતાં હોય છે. આ ડાઘા દૂર કરવા લોકો હંમેશા ચિંતા કરે છે અને અનેક ઉપાયો અજમાવવામાં આવે છે બાથરૂમ તથા ટોઇલેટની ટાઇલ્સ સાફ કરવા માટે મહીલાઓએ એસિડનો ઉપયોગ ન કરવો જોઇએ તેના બદલે બ્લિચિંગનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને…
કફવાળી ઉધરસ આવે છે તો સીરપ લેવાને બદલે અપનાવો આ દાદીમાના નુશખા
તમને પણ કફવાળી ઉધરસ થઇ જાય છે તો ઘરે બનાવેલી સીરપ બનાવીને પીશો તો ગળું ખરાબ હોય , ઉધરસ આવતી હોય , શરદી થાય એટલે કફની સમસ્યા સામાન્ય વાત છે કફની સાથે સાથે તાવ આવે , થાક લાગે , માથામાં દુખાવો થાય, અને આંખોમાં પણ થાક ભરેલો લાગે આવીસમસ્યા શરદીમાં થાય છે આથી શરદીનો ઇલાજ…
પેટ પર જામેલી ચરબી સટાસટ ઉતારવા માંગો છો તો ઘરે બનાવો આ હેલ્થી નાસ્તો
સવારે કરેલ નાસ્તો તમને આખા દિવસ દરમિયાન તમારા શરીરને એનર્જી આપે છે નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે સવારે કરેલ સરખો નાસ્તો તમને દિવસભર વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તમારા પેટની ચરબી ઉતારવા માટે ચિયા સીડ્સ અને ઓટ્સનું મિશ્રણ તમારા માટે સૌથી શ્રેષ્ઠ નાસ્તો માનવામાં છે ચિયા સીડ્સ અને ઓટ્સ…
