મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
માંગરોળનો પ્રખ્યાત લીલા નાળિયેરનો હલવો બનાવવા માટેની રેસીપી
રક્ષાબંધનનો તહેવાર આવે એટલે દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને મો મીઠું કરાવે એટલે ભાઈ બહેનને ભેટ આપે છે બહેનો દર વખત કરતા અલગ મીઠાઈ લેવાનું પસંદ કરે છે આ વખતે તમેં બહારથી મીઠાઈ લેવાનું વિચારી રહ્યા છો તો બજારમાં મળતા હળવા જેવો જ હળવો એટલે કે લીલા નાળિયેરનો હલવો બનાવવા માટેની રેસીપી…
ઉપયોગમા આવે તેવી ઘરગથ્થુ કિચન ટીપ્સ
કપડાં પરથી ચા, કોફી કે આયોડિનના ડાઘ દૂર કરવા ગરમ પાણીમાં બોરેક્ષ નાખી ફક્ત ડાઘવાળા ભાગને થોડો સમય પલાળી રાખી ત્યારબાદ નીચોવી તડકામાં સૂકવી દેવાં. પલાળતી વખતે ફક્ત ડાઘાવાળા ભાગને જ પાણીમાં રાખવો. આખું કપડું નાખવાથી આયોડિનના ડાઘ પૂરા કપડામાં ફેલાઈ જવાની શક્યતા છે. પૉલિશ કરેલા ટેબલ પર પડેલાં ગરમ પાણીના ડાઘ દૂર કરવા સલાડ…
એકવાર શરદી થયા બાદ તરત જ ફરી શરદી થાય તો ? શરદી હોય ત્યારે ઓફીસ જઈ શકાય? ઘરે રહીને શરદીની સારવાર કેવી રીતે કરવી
દરેક વ્યક્તિને વર્ષમાં ચારથી પાંચ વખત શરદી થતી હોય છે શરદી થઈ હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લેવાની જરૂર નથી સમગ્ર શહેરમાં અત્યારે શરદીનો વાવર ચાલી રહ્યો છે . શરદીમાં મેડિકલ સ્ટોર પરથી સીધી દવા લેવાથી શરીરને નુકશાન થઇ શકે છે. – સામાન્ય રીતે શરદી થાય ત્યારે આપણે મેડિકલ સ્ટોરમાંથી દવા લઇ જાતે જ ટ્રીટમેન્ટ કરી લેતા…
