ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • એકવાર શરદી થયા બાદ તરત જ ફરી શરદી થાય તો ? શરદી હોય ત્યારે ઓફીસ જઈ શકાય? ઘરે રહીને શરદીની સારવાર કેવી રીતે કરવી

    દરેક વ્યક્તિને વર્ષમાં ચારથી પાંચ વખત શરદી થતી હોય છે શરદી થઈ હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લેવાની જરૂર નથી સમગ્ર શહેરમાં અત્યારે શરદીનો વાવર ચાલી રહ્યો છે . શરદીમાં મેડિકલ સ્ટોર પરથી સીધી દવા લેવાથી શરીરને નુકશાન થઇ શકે છે.  – સામાન્ય રીતે શરદી થાય ત્યારે આપણે મેડિકલ સ્ટોરમાંથી દવા લઇ જાતે જ ટ્રીટમેન્ટ કરી લેતા…

  • માખીઓ આવતી અટકાવવા માટે ફક્ત આટલું કરો એક પણ માખી જોવા નહિ મળે

    ચોમાસું આવે એટલે માખીનો ઉપદ્રવ ખુબ વધી જાય છે કે પછી આપણે ઘરમાં કઈ નવીન વાનગી બનાવી હોય એટલે માખી વધી જાય છે આપણે સૌ માખીનો ઉપદ્રવ ઓછો કરવા માટે દવા છાંટી છીએ અનેક ઉપાયો કરીએ છીએ પરંતુ આ દવા આપણને જ નુકશાન કરે છે તો આવો આજે આપણે દવા વગર માખીનો ઉપદ્રવ ઓછો કરવા…

  • ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ઉપયોગ કરવાની ટીપ્સ

    તમારા ચહેરાને ચમકીલો બનાવવા માટે હળદર અને ચંદન ઘસીને ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે. વારંવાર પેશાબ લાગે છે તો અપનાવો આ દેશી ઈલાજ  વાંરવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા ત્રણ લીલા આંબળાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવી સવાર-સાંજ પીવો. સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની ક્યારેક  જરૂર પડે તો, આ છાલને સાચવી રાખવા માટે  માઇક્રોવેવ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles