ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • નખ અને નયા પાકવાથી થતા અસહ્ય દુખાવાથી તત્કાલીન છુટકારો મેળવવા ઘરગથ્થું ઉપચાર

    ચોમાસું શરુ થાય એટલે પગ સતત પાણીમાં પલળવાથી પગના ઘણા  રોગ થાય છે નખ દુખવો ખુબ અસહ્ય દુખાવો છે જે  નખમાં થતો એક રોગ છે. તેમજ ફીટ મોઝા અથવા બુટ પહેરવાથી પણ આ નખનો રોગ થાય છે.   જે  નખની  નીચેના માંસમાં વાયુ અને પિત્ત દોષના લીધે  પાક-પસ પેદા કરી અને દુ:ખાવો પેદા કરે છે. તેને…

  • નાના – નાના પણ અસરકારક દાદીમાના ટૂચકા જરૂર અજમાવી જૂઓ

    નાના – નાના પણ અસરકારક દાદીમાના ટૂચકા જરૂર અજમાવી જૂઓ..  એરફ્રેશનરથી કાચ સાફ કરવાથી કાચ  ચમકીલો થશે સાથે સાથે રૂમ સુંગધથી ખીલી  ઊઠશે. ઘણી વખત આપને પ્લાસ્ટીકની બોટલમાં છાસ ભરતા હોય છી આ છાસની બોટલ સાફ કરવાનો ખુબ કંટાળો આવે છે જો તમે સરસ અને ઝડપથી છાસની બોટલ સાફ કરવા માંગતા હોય તો  પ્લાસ્ટિકની બાટલીઓ…

  • બટરનો ઉપયોગ તમે ફક્ત રસોઈ માટે જ કરતાં હશો પરંતુ બટરમાંથી બનાવેલ ફેસપેક તમારો ચહેરો ચમકાવી દેશે

    બટર ઉપયોગ ફેસપેક બનાવવા માટે પણ થાય છે બટરનો ઉપયોગ ફક્ત રસોઇમાં જ નહીં,પરંતુ  સોંદર્યપ્રસાધન તરીકે પણ કરવામાં આવવી રહ્યો છે. બટર ભેળવેલ ફેસપેક લગાડવાથી ત્વચા મુલાયમ અને ચળકતી બની જાય  છે. બટરઅને ગુલાબજળ: એક ચમચો બટરમાં એક ચમચો ગુલાબજળ ભેળવીને તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરાપર લગાડી  સુકાઇ જાય પછી, હળવા હાથે ચહેરાને એક જ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles