ઉપયોગમાં આવે તેવી ૧૨+ કિચન ટીપ્સ

રસોડામાં ગેસના બર્નર ખરાબ થઇ જાય છે અને આ બર્નર ને સાફ કરવા માટે ફક્ત આટલું કરો તમારા ગેસના બર્નર ચકચકાટ થઇ જશે તેમજ ગેસમાંથી આવતટી દુર્ગંધ પણ દુર થશે ગેસની પટ્ટીને સાફ કરવા માટે એક સોફ્ટ કપડા પર લીંબુનો રસ લઈ પટ્ટી સાફ કરો, દુ્ગંધપણ જતી રહેશે અને ડાઘપણદૂર થશે.

જયરે વધુ તેલ વાળા અથવા વધુ ચિકાસ વાર વાસણ ધોવામાં દરેક મહિલાને કંટાળો આવે છે પરંતુ આ રીતે વાસણ ધોશો તો ક્યારેય ચિકાસવારા વાસણ ધોવામાં કંટાળો નહિ આવે વાસણ ધોતા પહેલા ચિકાશવાળા વાસણને એક જગ્યાએ રાખીને તેમાં ગરમ પાણી અને સાબુ નાખી દો, જેથી વાસણમાંથી ચિકાશ જતી રહેશે અને વાસણ ધોવામાં વધુ મહેનત નહી કરવીપડે.

નોનસ્ટીકમાં આ વસ્તુ ક્યારેય રાંધશો નહિ આ આ વસ્તુ રાંધવાની ભૂલ કરશો તો તમારા નોનસ્ટીકનું કોટિંગ નીકળી જશે નોનસ્ટિકનો ખટાશવાળી વસ્તુઓ બનાવવા માટે ક્યારેય ઉપયોગ ન કરવો, તેનું કોટિંગ નીકળીજશે.

તમે નવા વાસણ ખરીદો છો અને તેમાં બ્રાન્ડના સ્ટીકર લગાવેલ છે આ સ્ટીકર કાઢવા માટે ફક્ત આટલું કરો સ્ટીકર કાઢવા માં મહેનત નહિ કરવી પડે નવા વાસણમાં બ્રાન્ડનું લેબલ લાગેલું હોય છે જેને કાઢવું થોડું મુશ્કેલ હોય છે. તેના માટે તમે વાસણને ઉંધી તરફથી ગેસપર સહેજ ગરમ કરી લો જેથી લેબલ પોતાની જગ્યા છોડી દે છે અને પછી ચાકૂનો હળવા હાથે ઉપયોગ કરી લેબલ કાઢી લો. આમ સરળતાથી લેબલ નીકળી જશે

જયારે કિચનની ગટર જામ થઇ જાય ત્યારે શું કરશો ગટરને છોખી કરવા માટે આટલું કરો રસોડાની ગટર એકદમ સાફ થઇ જશે બેકિંગ સોડા અને મીઠાનો એક ભાગ મિક્સ કરી કિચનની ગટરમાં નાખો. પછી એક પેનમાં પાણી ઉકાળીતે તેને ગટરમાં નાખો. આવું કરવાથી ક્ચિનની ગટર જામ થઈ હશે તો સાફ થઈ જશે. જો ગટરની પાઇપ પ્લાસ્ટિકની હોય તો આવું કરવાથી બચવું.

આપણે ઘણી વખત રસોઈ બનાવતી વખતે કુકરમાં તળિયે બેસી જાય છે આ તળિયું સાફ કરવામાં ખુબ મહેનત કરવી પડે છે બળીગયેલા વાસણમાં ચમચી બેકિંગસોડા નાખો. પછી 2 ચમચી લીંબુનો રસ અને 2કપ ગરમ પાણી નાખો. પછી તેને વાસણ ધોવાના વાયરથી સાફ કરી લો. બળી ગયેલા વાસણ ચમકી ઊઠશે.

તવામાંથી ડુંગળીની દુર્ગંધ દૂર કરવા માટે તેમાં કાચું બટાકુ કાપીને તવા પર લગાવો,તવા માંથી ડુંગળીની દુર્ગંધ જતી રહેશે.

કોફી ક્યુબ બનાવવા માટે દૂધમાં કોફીની સાથે એલચી મિક્સ કરીને ટ્રેમાં ફ્રીઝ થવા માટે રાખી દો. જામી ગયા પછી કોલ્ડ કોફીનો આનંદ માણો.

બાળકોના કપડાંમાં ડાઘ લાગી ગયો હોય તો ત્યાં સોડા છાંટો અનેપછી ઉપરથી સરકો નાખી 15 મિનિટ સુધી રહેવા દો. પછી ટૂથબ્રશનો ઉપયોગ કરી તેને સાફ કરી લો.

નેતરનુંફર્નિચરમેલું થઈગયું હોય તો પહેલાં તેને સાબુના દ્રાવણથી ધોઈ નાખવું. પછીમીઠાવાળા પાણીથી ઘસીને તડકામાં સૂકવી દો.ફર્નિચર ચોખ્ખું થઈ જશે.

ઘરમાં પેઇન્ટ કરાવ્યા પછી તેની વાસ દૂર કરવા બેથી ત્રણ ડુંગળી સમારીને રૂમની વચ્યો વચ એક કલાક મૂકી રાખો.ડુંગળી વાસને થોષી લેશે. કપ-રકાબીમાં ચાના ડાઘ પડી ગયાં હોય તો તેને પાણીમાં ખાવાનો સોડા નાખી ધોવાથી ડાઘ જતા રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles